આપ સો વૈષ્ણવો ને શ્રી મહાપ્રભુજી ના ઉત્સવ ની ખુબ ખુબ વધાઈ .
પ્રગટ્યા ચંપારણ ની માંય ,મંદિર દુર દુર થી દેખાય ,
ગુરુજી નૈયા ઉતારો પાર . ૧
ભવસાગર ના આપ છો બેલી ,દૈવી જીવ ના કારજ સરીયા,
આપો બ્રહ્મસંબંધ ના દાન …ગુરુજી નૈયા ઉતારો પાર .૨.
શ્રી લક્ષ્મણ ભટ્ટ ને ત્યાં પ્રગટ્યા ,ઈલ્લામાંગારુજી માત આપ ના ,
તૈલંગ કુલ દ્વિજ એ અવતાર …ગુરુજી નૈયા ઉતારો પાર .૩.
ભાગવત ગ્રંથ નું મંથન કીધું ,અદ્ ભુત અમૃત પાન કરાવ્યું ,
પુરો દાસ વલ્લભ ની આશ …ગુરુજી નૈયા ઉતારો પાર .
આપ સો વૈષ્ણવો ને અમારા જય શ્રી કૃષ્ણ .