શ્રાવણ માસ ની શુકલ (સુદ) પક્ષ ની એકાદશી
ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા :”હે ભગવાન !તમે હવે મને શ્રવણ માસ ના શુકલ પક્ષ ની એકાદશી ની કથા સંભળાવો .અ એકાદશી નું નામ શું છે ?તેની વિધિ કઈ છે તે કહો .”
શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન ! તમે શાંતિપૂર્વક શ્રાવણ માસ ની શુકલ પક્ષ ની એકાદશી ની કથા સાંભળો .દ્વાપર યુગ ના પ્રારંભ માં માહિષ્મતી નામ ની નગરી હતી .તે નગરી માં મહાજીત નામ નો રાજા રાજ્ય કરતો હતો .તે પુત્ર હીન હતો તેથી તે સદાય દુઃખી રહેતો હતો .તેને રાજ્ય કષ્ટ દાયક પ્રતીત થતું હતું .રાજા એ પુત્ર પ્રાપ્તિ ના ઘણાં પ્રયત્નો કર્યા પણ તે નિષ્ફળ ગયા .હવે રાજા વૃદ્ધ થવા લાગ્યો .તેની ચિંતા પણ વધવા લાગી .એક દિવસ રાજા એ પ્રજા ને સંબોધન કરતા કહ્યું કે “ન તો મે પોતાના જીવન માં પાપ કર્યું છે કે ન તો ક્યારેય દેવતા અને બ્રાહ્મણો ના દાન છીનવ્યા છે .ના અન્યાય પૂર્વક પ્રજા થી ધન એકત્ર કર્યું છે .મે પ્રજા ને હમેશા પુત્ર ની જેમ પાળી છે .મેં અપરાધીઓ ને દંડ દીધો છે .મેં ક્યારેય કોઈ જોડે રાગ દ્વૈષ કર્યા નથી .બધા ને સમાન માન્યા છે .આ રીતે ધર્મ પૂર્વક રાજ્ય કરવા છતાં હું આ સમયે મહાન દુઃખ ભોગવું છું .તેનું શું કરણ છે ?
રાજા મહાજીત આ વાત ને વિચારવા માટે મંત્રી સહીત વન માં ગયા .ત્યાં વન માં જઈ ને એમણે મોટા મોટા ઋષિ મુનીઓ ના દર્શન કર્યા .એ સ્થાન પર તેમણે વયોવૃદ્ધ અને ધર્મ ના જ્ઞાતા મહર્ષિ લોમશ ના દર્શન કર્યા .બધા એ મહર્ષિ ને પ્રણામ કરી એમના સન્મુખ બેસી ગયા .એમના દર્શન થી બધાને ખુબ પ્રસન્નતા થઇ અને કહેવા લાગ્યા :”હે દેવ!અમારા અહોભાગ્ય છે કે અમને તમારા દર્શન થયા .લોમશ ઋષિ બોલ્યા : હે મંત્રીગણ !તમારા લોકો ના વિનય અને સદ્વ્યવહાર થી હું અત્યંત પ્રસન્ન છું .તમે મને તમારું આવવાનું કારણ બતાવો .હું તમારું કાર્ય મારી શક્તિ અનુસાર અવશ્ય કરીશ કારણકે અમારું શરીર પરોપકાર માટે જ બન્યું છે .”
લોમેશ ઋષિ ના વચન સાંભળી મંત્રી બોલ્યા :”હે મહર્ષિ ! તમે અમારી વાત જાણવા માં બ્રહ્મા થી પણ વધુ છો તેથી અમારો સંદેહ દૂર કરો .માહિષ્મતી નામ ની નગરી માં મહાજીત નામ નો ધર્માત્મા રાજા છે .તે પ્રજા ને પુત્ર ની જેમ પળે છે ,છતાં તે પુત્ર હીન હોવાથી અત્યંત દુઃખી રહે છે .અમે લોકો તેમની પ્રજા છીએ .અમે તેમના દુઃખ થી દુઃખી છીએ કારણકે પ્રજા નું કર્તવ્ય છે કે રાજા ના સુખ માં સુખ માણે અને દુઃખ માં દુઃખ માને .એમના પુત્ર હીન હોવાનું કરણ હજુ સુધી પ્રતિત થયું નથી .તેથી અમે તમારી પાસે આવ્યા છે .અમને તમારા દર્શન થયા .હવે અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારું કષ્ટ જરૂર દૂર થશે .મહાન પુરુષો ના દર્શન માત્ર થી જ પ્રત્યેકકાર્ય ની સિધ્ધી થાય છે .તેથી હવે અમારા રાજા ને પુત્ર પ્રાપ્તિ થાય એવો કોઈ ઉપાય બતાવો .”
લોમશ ઋષીએ એક ક્ષણ માટે નેત્ર બંધ કર્યા અને રાજા ના પૂર્વ જન્મ નો વિચાર કરવા લાગ્યા .તે વિચાર કરીને બોલ્યા :”હે શ્રેષ્ઠ પુરુષો ! આ રાજા પાછલા જન્મ માં અત્યંત નિર્ધન હતો અને ખરાબ કર્મો કરતો હતો .તે એક ગામ થી બીજા ગામ ફરતો હતો .એક દિવસ જેઠ માસ ની શુકલ પક્ષની એકાદશી ના દિવસે બે દિવસ થી ભૂખ્યો હતો .બપોર નો સમયે એક જળાશય માં જળ પીવા ગયો .તે સ્થાન પર એજ સમયે વિયાયેલી ગાય જળ પી રહી હતી .રાજા એ ગાય ને ભગાડી ને સ્વયં જળ પીવા લાગ્યો ,તેથી રાજા ને આ દુઃખ ભોગવવું પડે છે . એકાદશી ના દિવસે ભૂખ્યા રહેવાથી એ રાજા થયો અને તરસી ગાય ને હટાવવાથી પુત્રવીયોગ નું દુઃખ ભોગવવું પડે છે .”
બધા લોકો બોલ્યા :”હે મહર્ષિ શાસ્ત્રો માં એવું લખ્યું છે કે પુણ્ય થી પાપ નષ્ટ થઇ જાય છે .તેથી કૃપા કરી ને રાજા ના પૂર્વ જન્મ ના પાપ નષ્ટ થવાનો ઉપાય બતાવો કારણકે પાપ નો ક્ષય થવાથી રાજા ને પુત્ર રત્ન ની પ્રાપ્તિ થશે .”
આ વચનો સાંભળી લોમશ ઋષિ બોલ્યા :”હે સજ્જનો ! જો શ્રાવણ માસ ની શુકલ પક્ષ ની પુત્રદા એકાદશી નું વ્રત તમે બધા લોકો કરી રાત્રી એ જાગરણ કરો અને તે વ્રત નું ફળ રાજા ને પ્રદાન કરો તો તમારા રાજા ને પુત્ર પ્રાપ્ત થશે ત્યારે તમારા સમસ્ત દુઃખ નષ્ટ થઇ જશે .”
મંત્રીઓ સહીત બધા પ્રજા જનો એ લોમશ ઋષિ ના વચન સાંભળી પ્રસ્ન્ન્તાપુરાવક પોતાના નગર માં આવ્યા .બધા એ શ્રાવણમાસ ની શુકલ પક્ષ ની એકાદશી નું વિધિ પૂર્વક વ્રત કર્યું અને દ્વાદાષીએ એમનું ફળ રાજા ને આપ્યું .એ પુણ્ય ના પ્રભાવ થી રાણી એ ગર્ભ ધારણ કર્યો અને નવ માસ બાદ તેજસ્વી પુત્ર નો જન્મ થયો .
હે રાજન ! તેથી આ એકાદશી નું નામ પુત્રદા એકાદશી પડ્યું છે .જે મનુષ્ય પુત્ર રત્ન પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેણે આ એકાદશી નું વિધિ પૂર્વક વ્રત કરવું જોઈએ .આ વ્રત ના પ્રભાવ થી આલોક માં અને પરલોક માં સ્વર્ગ મળે છે .